Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વિવિધ વિકાસકામોનું સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ- ખાતમુહૂર્ત

કેન્દ્ર-રાજ્ય સરકારની ગ્રામ વિકાસની કટિબદ્ધતા વ્યકત કરાઈઃ પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૌન પળાયું

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધાઓના વિકાસ કાર્યોનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના લાલપુર રૂ.૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નાગરિકોના આરોગ્ય માટે સુવિધા સજ્જપેટા આરોગ્ય કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ભારત સરકારના *સેન્ટ્રલ રોડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ* માંથી રૂ.૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર, લાલપુર-મોટાખડબા રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે *જન સુવિધાના નિરંતર વ્યાપ*ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના *સમર્પિત સેવાસૂત્ર* નિત્ય સાર્થક કરવાનો સંસદસભ્ય પૂનમબેન માડમે દૃઢ પુનરોચ્ચાર કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાજમાર્ગ- પરીવહન કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રત્યે અહોભાવ વ્યકત કર્યો હતો.

સાથે જ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરામાં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને સણોસરા ગામે સાંસદની ગ્રાંટમાંથી નવનિર્મિત કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત આગેવાનો, હોદેદારો, વડીલો, ગ્રામજનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંસદસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોને વિશેષ સુવિધાઓ અંગે અભિનંદન પાઠવી સાંસદ પૂનમબેન માડમે ગ્રામ્ય વિકાસ અંગેની કેન્દ્ર અને રાજ્ય સરકારની કટીબદ્ધતા વર્ણવી હતી.

આ સમગ્ર કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, માજી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, મહામંત્રી ભાજપ દિલીપભાઇ ભોજાણી, વિનુભાઈ વડોદરિયા, ખીમજીભાઈ ધોળકિયા અને ગોમતીબેન ચાવડા, જેસાભાઈ નંદાણીયા ઉપપ્રમુખ તાલુકા પંચાયત, જયેશભાઈ તેરૈયા-સરપંચ લાલપુર, રમેશભાઈ ગાગીયા-પ્રમુખ તાલુકા ભાજપ, કાનાભાઈ આંબલીયા-માર્કેટિંગ યાર્ડ ચેરમેન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમો પૂર્વે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલાના ભોગ બનેલા હતભાગી સર્વે મૃતકોના આત્માની શાંતિ માટે મૌન પાળી તે સૌના આત્માની સદ્ગતિની પ્રાર્થના કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh