Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે
જામનગરના વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા જ્ઞાતિના ધો. ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મનમોહનભાઈ સોની તથા સી.એ. ધૈર્ય મહેતાએ પ્રેરણાદયક માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે સમાજમાંથી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર કનકબેન વડનગરા, ફાલ્ગુનીબેન ઘેડિયા, કૃપાબેન મોનાણી, પાયલબેન કલોલિયા, હેમાંગભાઈ પારેખ, ચેતનભાઈ મોનાણી, હેમંતભાઈ મોનાણી અને સાગરભાઈ કલોલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ નીતિનભાઈ વારિયાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ તરફથી શિક્ષણ મંત્રી કુણાલ મોનાણી, સહમંત્રી પ્રફુલભાઈ ચોક્સી, કિશનભાઈ ધોળકિયાએ જહેમત ઊઠાવી હતી તેમ સમાજ મંત્રી કિશોરભાઈ પાટડિયાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial