Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈનો આક્ષેપઃ
ખંભાળિયા તા. ૮: ગુજરાતના મુખ્યમંત્રી તથા કેબીનેટ દ્વારા રાજયમાં વરસાદ ખેંચાતા દશ કલાક વીજળીની જાહેરાત બાબતે પ્રતિક્રિયા આપતા ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ રોજ દશ કલાક વીજળી આપવાની વાત તો બાજુ પર રહી આઠ દિવસમાં આઠ કલાક પણ વીજળી મળતી ના હોવાનું જણાવીને મુખ્યમંત્રી તથા કેબીનેટ દ્વારા ગ્રાઉન્ડ લેવલે તપાસ કર્યા વગર જ આ જાહેરાત કર્યાનો કટાક્ષ કર્યો હતો.
ખેડૂતોને જયારે જરૂર હોય ત્યારે જ વીજળી મળતી નથી ચેકીંગ માટે ગાડી સાફ છે પણ ફરિયાદ નિવારણ માટે પુરતી વ્યવસ્થા નથી!! જે વીજ ફીડરમાં ૧૦૦ ટી.સી.ની કેપેસીટી હોય ત્યાં ૧૦૦૦ આપી દીધા છે. અને એક ફીડરમાં ૧૦ કિલોમીટર વીજ લાઈનની ક્ષમતા હોય ત્યાં ૧૦૦ કિ.મી.ની લાઈનો નાખી છે આમાં વીજળી નિયમિત કયાંથી રહે ?
મુખ્યમંતઢરીએ ૧૦ કલાક વીજળી આપવાની નહીં પરંતુ દિવસે આઠ કલાક વીજળી આપવાના વાયદા પાછા ખેંચવાની પ્રેસ કોન્ફરન્સ કરવા જણાવીને પાલ આંબલિયાએ કટાક્ષ કર્યો કે સારૃં છે. ગુજરાતની ભાજપ સરકારે એવી જાહેરાત ના કરી કે દિવસ રાત ૨૪ કલાકમાં અમે ૨૫ કલાક વીજળી આપીશું!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial