Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને બાર કલાક વીજળી આપવા ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખની રજુઆત

ભાણવડ પંથકમાં વરસાદ ખેંચાતા

                                                                                                                                                                                                      

ભાણવડ તા.૮: ભાણવડ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા અને નિરાશા ફેલાઈ છે ખેડૂતોને પાક બચાવવા કૂવા-વાવમાંથી પાણી લેવાની ફરજ પડી રહી છે, પણ આ પિયત માટે અપૂરતો વીજપૂરવઠો મળે છે.

ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ રંભીબેન વાણવોટીયાએ રાજ્યના ઉર્જા મંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સળંગ ૧૨ કલાક વીજપૂરવઠો આપવા રજુઆત કરી છે.

આ વિસ્તારના ખેડૂતોને અપુરતો વીજ પાવર મળવાથી અસંતોષ ઉભો થયો છે. ચોમાસાની શરૂઆતમાં ભાણવડ પંથકમાં વાવણીલાયક વરસાદ થવાથી વાડી ખેતરમાં હોંશે હોંશે મગફળી, કપાસ, અને સોયાબીન સહીતનું વાવેતર કર્યુ હતું.

પરંતુ વાવણી કર્યા પછી પાક ઉપર જરૂરિયાત મુજબનો વરસાદ થયો નથી, હાલમાં વરસાદની જરૂરિયાત રહી છે, પરંતુ વરસાદ પડતો નથી. જેથી વાવ કૂવામાંથી પાણી લેવાની ફરજ પડી રહી છે, આ માટે અપુરતો વીજપાવર મળવાથી ખેતરમાં રહેલાં પાક ઉપર જોખમ ઉભું થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh