Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિપક્ષના ઉપદંડકની રજૂઆતઃ
જામનગર તા. ૮: જામનગરના વોર્ડ નં. ૬ ના લોકોને છેલ્લા બબ્બે મહિનાથી પાણી વિતરણમાં ધાંધિયા પ્રવર્તી રહ્યા હોય, ભારે પરેશાની ભગોવવી પડી રહી છે. આ પ્રશ્ને આ વોર્ડના કોર્પોરેટર અને વિપક્ષના ઉપદંડક રાહુલભાઈ આહિરે વોર્ડવાસીઓ સાથે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી વ્હેલી તકે પાણી પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી હતી.
જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૬ મા ગત્ ર મહિનાથી પાણીની સપ્લાયમાં સ્થાનિક માણસોને અત્યંત હાલાકી ભોગવવી પડે છે, જેના માટે રજૂઆતના જવાબમાં લગત અધિકારી દ્વારા એવો જવાબ આપવામાં આવેલ છે કે તા. પ-૮-ર૦રપ, મંગળવારના જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટમાં પંપ ફીટ કરવાનું કામ, એન.ઈ.એસ.ના કમ્પાઉન્ડની અંદર અને બેડી બંદર રીંગ રોડ ઉપરથી પસાર થતી રાઈઝિંગ મેઈન પાઈપલાઈન ઉપર એરવાલ ફીટીંગ કરવાનું કામ ચાલુ હોય, જેથી જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટને સંલગ્ન રવિ પાર્ક અને ગોકુલનગર ઈ.એસ.આર.ના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે અન્ય જવાબદાર અધિકારી સાથે મૌખિક વાત કરતા એવું જણાવવામાં આવેલ કે રવિ પાર્ક, ઈ.એસ.આર.થી વિતરણ થતું પાણી જે-તે ટાંકાની કે૫ેસીટી કરતા વધારે છે. માટે તેનો ઉકેલ નવો ઈ.એસ.આર. બનાવવો છે, જેને અંદાજીત ૧.પ વર્ષ જેવો સમયગાળો થઈ જાય. આથી એવું જણાય છે કે બન્ને અધિકારીઓના જવાબમાં અંતર છે, અને માત્ર ને માત્ર સ્થાનિક લોકોને ગુમરાહ કરવા માટેના પ્રયત્નો છે. હકીકત કંઈક જુદી જ છે. જ્યાં સુધી ઈ.એસ.આર.થી પાણી વિતરણ શરૂ ના થાય ત્યાં સુધી આ બન્ને ઈ.એસ.આર.થી વિતરણ થતા વિસ્તારમાં ે-તે અધિકારી દ્વારા પાણી વિતરણની વૈકલ્પિક સુવિધા ઊભી કરવાની ફરજ બને છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial