Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા શનિવારે સાંજે નીકળેલા ઝૂલુસમાં લાગ્યા હતા નારાઃ
જામનગર તા. ૧૧: જામનગરના દરબારગઢ નજીક ગયા શનિવારે ઈદ-એ-મિલાદના તહેવારને અનુલક્ષીને નીકળેલા ઝૂલુસમાં કેટલાક વ્યક્તિઓએ સર તન સે જુદા.. નો નારો લગાવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે શરૂ કરેલી તપાસના અંતે ગઈકાલે સાત વ્યક્તિના નામ જોગ ગુન્હો નોંધાયો છે અને કેટલાક વ્યક્તિઓની શોધ હાથ ધરી છે.
જામનગરના દરબારગઢ વિસ્તારમાં ગયા શનિવારે સાંજે એકઠા થયેલા એક ટોળાએ બર્ધનચોકના ખૂણા નજીક પહોંચી કેટલાક નારા લગાવતા તેનો વીડિયો વાયરલ થયો હતો. ગયા શનિવારે ઈદના તહેવાર નિમિત્તે નીકળેલા ઝૂલુસમાં ઉપરોક્ત નારા લાગ્યાની વિગતો બહાર આવી હતી. જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ત્યારપછી ગઈકાલે દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી.આર. ગામેતીએ ખુદ ફરિયાદી બની સાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઈદ-એ-મિલાદના ઝૂલુસ વખતે ગયા શનિવારે સાંજે ખોજાનાકા પાસે રહેતા મોહસીનખાન સલીમખાન પઠાણ, બિલાલ હાસમ નોયડા, શંકરટેકરીમાં રહેતા ઈમરાન સીદીક કુરેશી, યુનુસ હારૂન કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ બાઉદ્દીન બેલીમ વગેરે વ્યક્તિઓએ સર તન સે જુદાનો નારો લગાવ્યો હતો.
ઉપરોક્ત બનાવનો મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
આ રીતે ઉપરોક્ત શખ્સોએ ઈલેકટ્રોનિક સંચાર સાધનો દ્વારા ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વગેરે બોલેલા-લખેલા શબ્દો વચ્ચે જુદા જુદા ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટ, ધિક્કારની લાગણીને પ્રોત્સાહન આપવાની કોશિષ કરી જાહેર જનતામાં ભય અને ગભરાટ પેદા કરવાના આશયથી ઉપરોક્ત નારા લગાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પીઆઈ એન.એ. ચાવડાએ બીએનએસની કલમ ૧૯૬ તથા તેની પેટા કલમો, ૩૫૧ (૩), ૩૫૩ (૧) (બી) હેઠળ નોંધાયેલા આ ગુન્હાની તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial