Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૧૧: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણચોક પાસે ગઈ તા.૭ની રાત્રે રોડ ક્રોસ કરતા એક યુવાનને બાઈકે ઠોકર મારી હતી. ઘવાયેલા આ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બાઈક ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણચોક પાસેથી ગયા મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ઓસમાણભાઈ હસનભાઈ મુરીમા નામના વ્યક્તિ ચાલીને રોડ ક્રોસ કરતા હતા.
આ વેળાએ જીજે-૧૦-બીએસ ૧૯૬ નંબરનું કાળા રંગનું મોટરસાયકલ ફૂલ સ્પીડમાં ધસી આવ્યું હતું. આ વાહનના ચાલકે ઓસમાણભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા પામેલા આ વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈરાત્રે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બેડેશ્વર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસના બ્લોક નં.૨૦૬માં રહેતા નદીમ સૈફભાઈ રાયકાની ફરિયાદ પરથી મોટરસાયકલના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial