Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા-દ્વારકા માર્ગ પર મોટર કારની ઠોકરથી બાઈકચાલકનું મોત

આરંભડાના મહિલાનો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ખંભાળિયા-દ્વારકા માર્ગ પર ગઈકાલે ફોર વ્હીલ ચાલકે એક મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના રહેવાસી ગઈકાલે સવારે ખંભાળિયા-દ્વારકા માર્ગ પર સોનારડી ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા ત્યારે જીજે-૩૭-એમ ૪૧૦૨ નંબરને ફોર વ્હીલના ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં તેના ચાલકનું ગંભીર ઈજાના કારે મૃત્યુ થયું હતું. આ બનાવના કારણે મૃતકના ભત્રીજા દિલીપભાઈ શામજીભાઈ સોનગરાએ કારચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ સબ ઈન્સ. એન.એસ. ગોહિલ ચલાવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામના માણેક ચોક વિસ્તારમાં રહેતા રશીદાબેન ઉર્ફે રસીલાબેન સુલતાનભાઈ બેતારા નામના પાંત્રીસ  વર્ષના મહિલાએ ગઈ તા.૧૫ના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મરીયમબેન તાલબભાઈ બેતારાએ પોલીસમાં જાણ કરતા હે.કો. એલ.ડી. લગારીયાએ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh