Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાને ફાંસો ખાધો, વૃદ્ધને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યોઃ
જામનગર તા. ૨૫: જામનગર જિલ્લામાં અપમૃત્યુ અને આત્મહત્યાના અલગ અલગ બનાવમાં એક યુવાન અને એક વૃદ્ધના મૃત્યુ નિપજ્યા છે. જેમાં જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. જ્યારે ફલ્લા ગામમાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના વામ્બે આવાસ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૮) નામના યુવાને શનિવારે પોતાના ઝૂંપડામાં લાકડાની આડશમાં ટુવાલ વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે ચંપાબેન પરમારે પોલીસમાં જાણ કરતા એએસઆઈ વી.એમ. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા ભગવાનજીભાઈ જશમતભાઈ દલસાણીયા (ઉ.વ.૬૦)ને ગઈકાલે સવારે દસેક વાગ્યે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જાંબુડાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial