Advertisement
Author: નોબત સમાચાર

ખેલ મહાકુંભમાં ગત્ વર્ષના વિજેતા ખેલાડીને ઈનામની રકમ ચૂકવવા માગ

ગત વર્ષની રકમ ચૂકવાઈ નથી ને આ વર્ષ નવું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: ગત વર્ષના ખેલ મહાકુંભના ખેલાડીને ઈનામની રકમ અને સર્ટીફિકેટ આજ સુધી મળ્યા નથી અને ના ખેલ મહાકુંભનું આયોજન થતાં આજે યુવક કોંગ્રેસ અને એન.એસ. યુ.આઈ. દ્વારા રજૂઆત કરી આવેદન પાઠવાયું હતું જ્યાં ગત્ વર્ષની રકમ આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ગત્ વર્ષે પણ જામનગરમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિજેતાઓને ઈનામની રકમ અને સર્ટીફિકેટ આજ સુધી મળ્યા નથી અને સરકારે વધુ એક વખત આ વર્ષે ખેલમહાકુંભનું આયોજન કર્યું છે.

આથી આજે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા જિલ્લા રમતગમત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આખરે રજૂઆતને સફળતા મળી હતી અને આજ સાંજ સુધીમાં જ ગત્ વર્ષની ઈનામની રકમ ચૂકવાઈ જશે તેવી ખાતરી આપી હતી.

આ રજૂઆત સમયે યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, એન.એસ.યુ.આઈ.ના શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એન.એસ.યુ.આઈ. શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એન.એસ. યુ.આઈના ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને મંત્રી શક્તિસિંહ જાડેજા, કોર્પોરેટર જેનબબેન ખફી વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh