Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ વર્ષ સુધી ખરાબામાં કરી રાખ્યું હતું દબાણઃ
જામનગર તા. ૧૫: જોડીયાના કેસીયા ગામમાં ત્રણ આસામીએ સરકારી ખરાબામાં ૧૪ વર્ષ સુધી દબાણ કરી રાખી તેમાંથી આર્થિક લાભ મેળવ્યો હતો. આ શખ્સોએ પોતાની સામે દાખલ થયેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરતા આ શખ્સોને રૂ. દસ લાખ તિજોરી કચેરીમાં જમા કરાવવાનો આદેશ કરાયો છે.
જોડીયા તાલુકાના કેસીયા ગામમાં જમનભાઈ અજાભાઈ નામના આસામીની વડીલોપાર્જીત જમીનમાં ધરમસીભાઈ હરજીભાઈ ચાવડા, મનોજ હરજીભાઈ ચાવડા, સતીષ હરજીભાઈ નામના ત્રણ આસામીએ દબાણ કરી લીધાની રજૂઆત જમનભાઈ દ્વારા જામનગર કલેકટર કચેરીની લેન્ડગ્રેબીંગ કમિટી સમક્ષ કરવામાં આવી હતી, જેની તપાસ કમિટી દ્વારા હાથ ધરાઈ હતી.
તે પછી આ જમીનમાં દબાણ થયાનું જણાઈ આવતા કમિટીએ પોલીસ ફરિયાદ કરવાનું સૂચન કર્યું હતું તે દરમ્યાન ત્રણેય વ્યક્તિએ આ જમીન ખાલી કરી જમનભાઈને સોંપી આપી હતી, પરંતુ સરકારી ખરાબાની જમીનમાં દબાણ યથાવત રાખ્યું હતું, આથી જોડીયાના નાયબ મામલતદારે લેન્ડ ગ્રેબીંગ અંગે ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ પરથી ગ્રામ્ય ડીવાયએસપીએ શરૂ કરેલી તપાસમાં આ આસામીઓએ સરકારી ખરાબામાં દબાણ કર્યાનું પ્રસ્થાપિત થયું હતું. ત્યારે જ આરોપીઓએ આ ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી જ્યાં તપાસનીસ અધિકારીએ આરોપીઓએ દબાણ કર્યાની વિગતો રજૂ કરતા હાઈકોર્ટે છેલ્લા ૧૪ વર્ષથી તે જગ્યામાં દબાણ કરી ઉપરોક્ત ત્રણેય શખ્સે આર્થિક લાભ મેળવ્યો હોવાનું માની રૂ. દસ લાખ જિલ્લા કલેકટર સમક્ષ જિલ્લા સરકારી તિજોરીમાં જમાં કરાવવા અને જો તેનાથી વધુ લાભ મેળવાયો હોય તો, વધારાની રકમ પણ તપાસના અંતે તિજોરી કચેરીમાં જમા કરાવી દેવાનો હૂકમ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial