Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના તરસાઈ પાસે બે બાઈક ટકરાઈ પડતા ઘવાયેલા પ્રૌઢનું થયું મૃત્યુ

શનિવારે સવારે સર્જાયો અકસ્માત

                                                                                                                                                                                                      

જામજોધપુરના તરસાઈ ગામ પાસે સવારે બે બાઈક ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ગામના એક પ્રૌઢનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામના કિરણભાઈ ભોવાનભાઈ બુટાણી નામના વૃદ્ધ તથા અન્ય વ્યક્તિ ગઈ તા. ૧૩ના દિને પોતાના ગામથી જામજોધપુર તાલુકાના જામ-સખપુર ગામ આવવા માટે બાઈક પર નીકળ્યા હતા.

તેઓનું જીજે૨૫ એચ ૮૩૬૦ નંબરનુ બાઈક જ્યારે તરસાઈ પાસે પહોંચ્યુ ત્યારે સામેથી નંબર પ્લેટ વગરનું એક મોટરસાઈકલ ધસી આવ્યું હતુંં. તેના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જયો હતો.

રોડ પર કચડાયેલા કિરણભાઈને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈ અમૃતલાલ બુટાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh