Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સુપ્રસિદ્ધ શિરેશ્વર લોકમેળો ખૂલ્લો મૂકાયો

વઢવાણના ધારાસભ્ય અને અગ્રણીના હસ્તે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૭: હાલારમાં સૌથી મોટો શિરેશ્વર લોકમેળાનું ઉદ્ઘાટન ગઈકાલે જગદીશ મકવાણાના હસ્તે રીબીન કાપીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

બહું લાંબા સમયથી યોજાતા ગ્રામ્ય સંસ્કૃતિના આ લોકમેળામાં લોકો ગરીબ, મધ્યમ વર્ગના મેળા થકી રોજગારી વ્યવસાયો દ્વારા આવક મેળવી શકતા હોવા સાથે ચાર દિવસના લોકમેળામાં અબાલવૃદ્ધ તમામ સમાજના લોકો અહીં ભાગ લઈ મજા માણી શકે તેમ જણાવીને લોકોને મેળામાં સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી.

મેળામાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, નાયબ કલેક્ટર કે.કે. કરમટા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજા, અગ્રણીઓ ડો. અમિત નકુમ, મોહિતભાઈ મોટાણી, જીતેશભાઈ કણઝારિયા, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, ચીફ ઓફિસર રાહુલ કરમુર, શક્તિનગર સરપંચ પૂનમબેન નકુમ, બાબાભાઈ નકુમ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh