Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેળામાં ૧૫થી વધુ બાળકોને શોધી વાલીને સોંપી આપતી જામનગર પોલીસ

મિશન મુસ્કાન અંતર્ગત પ્રશંસનીય કામગીરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૬: મિશન મુસ્કાન અંતર્ગ જામનગરના મેળામાં ૧૫ થી બાળકો પોતાના વાલીથી વિખુટા પડી ગયા હતા. પોલીસે આ બાળકોને તેમના વાલી સાથે મિલાપ કરાવી દીધો હતો.

ગત તા.૧૫/૦૮/૨૦૨૫ થી જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો શરૂ થયો છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મેળામાંથી વાલીથી છુટા પડેલ બાળકોને તાત્કાલીક શોધી કાઢી તેમના વાલી વારસને સોંપી આપવા માટે પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી

જે અંગે ગઇ તા.૧૫/૦૮/૨૦૨૫થી તા.૨૫/૦૮/૨૦૨૫ સુધીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ લોકમેળામાં સતર્ક પોલીસ બંદોબસ્ત રાખી તેમજ કાયદો વ્યવથાની પરિસ્થિતિ જાળવી લોક મેળામાં વાલીઓથી છુટા પડેલ ૧૫થી વધુ બાળકોને તાત્કાલીક શોધી કાઢી તેમના વાલી વારસને સોંપી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh