Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા સાથે નિરાકરણજામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી. જેમાં બી.એ.પી.એસ. મંદિર-જામનગરના સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ સભામાં 'ચાલો આદર્શ બનીએ' કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા સંઘના ભવન અંગે તેમજ તાલુકાના અન્ય વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા તથા નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગરના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લા ઘટક સંઘના પ્રમુખ, મંત્રી, રાજ્ય કારોબારી સભ્યો, જિલ્લા કારોબારી સભ્યો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સર્વેએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial