Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાદીભંડાર પાસેથી બેભાન મળેલા ભિક્ષુકનું મોતઃ
જામનગર તા. ૧૩: દ્વારકાના ઓખામઢી પાસે એક અન્નક્ષેત્ર પાછળ પાણી ભરેલા ખાડામાં એક અજાણ્યા યુવાન કોઈ રીતે પડી ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે ખાદીભંડાર પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા અજાણ્યા ભિક્ષુકનું મૃત્યુ નિપજ્યું છે. બંને મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.
દ્વારકા તાલુકાના ઓખામઢી ગામમાં આવેલા શિવ અન્નક્ષેત્ર પાછળ ભરેલા પાણીના ખાડામાં સોમવારે રાત્રે એક અજાણ્યા પુરૂષ કોઈ રીતે પડી ગયા પછી ડૂબી જઈ મોતને શરણ થયા છે. લખમણભાઈ પાંચાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. અંદાજે પાંત્રીસેક વર્ષના આ યુવાનના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદીભંડાર પાસેથી ગઈકાલે બપોરે પચ્ચાસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા ભિક્ષુક બેશુદ્ધ હાલતમાં જોવા મળતા ત્યાં ફળની રેંકડી રાખતા યોગેશ મગનમલ છબલાણીએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પોલીસ કાફલાએ તે ભિક્ષુકને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial