Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંયુક્ત રાષ્ટ્રસભાનું ૯ મી સપ્ટેમ્બરથી સત્ર શરૂ થશેઃ
નવી દિલ્હી તા. ૬: યુનોની સામાન્ય સભા માટે પીએમ મોદી અમેરિકા નહીં જાય, પરંતુ વિદેશમંત્રી જયશંકર યુએનજીએમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું ૮૦ મું સત્ર છે ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી ઉચ્ચ સ્તરીય બેઠક ર૩ થી ર૯ સપ્ટેમ્બર સુધી ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકા જશે. બેઠકના વક્તાઓની સુધારેલી યાદી જાહેર થયા પછી આ માહિતી પ્રકાશમાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું ૮૦ મું સત્ર ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી ઉચ્ચ સ્તરીય બેઠક ર૩ થી ર૯ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બેઠકમાં પ્રથમ વક્તા બ્રાઝિલ હશે, જ્યારે આ પછી અમેરિકા મહાસભાને સંબોધિત કરશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ર૩ સપ્ટેમ્બરે યુએનજીએ પોડિયમ પરથી વૈશ્વિક નેતાઓને સંબોધિત કરશે. તેઓ રાષ્ઠ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સત્રને સંબોધિત કરશે.
વિદેશમંત્રી જયશંકર ર૭ સપ્ટેમ્બરે ભારત તરફથી સત્રને સંબોધિત કરશે.
જો કે, આ પહેલા જુલાઈમાં જાહેર કરાયેલ વક્તાઓની યાદીમાં પીએમ મોદીનું નામ સામેલ હતું. તે યાદી અનુસાર પીએમ મોદી ર૬ સપ્ટેમ્બરે યુએનજીએને સંબોધિત કરવાના હતાં, જો કે વક્તાઓની આ યાદીમાં વધુ સુધારો કરી શકાતો હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial