Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોટલ, રેલવે સ્ટેશન, બસ ડેપો, ગોમતીઘાટ સહિતના સ્થળોએ કરાઈ ચકાસણીઃ શકમંદોની પૂછપરછ કરાઈઃ
ગઈકાલે દિલ્હીમાં થયેલા વિસ્ફોટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસતંત્ર દ્વારા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ખંભાળિયા અને દ્વારકા સર્કલના ડીવાયએસપી વિસ્મય માનસેતા, સાગર રાઠોડના વડપણ હેઠળ દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોની ચકાસણી આરંભાઈ હતી. દ્વારકા શહેરમાં પીઆઈ બારસીયાના વડપણ હેઠળની પોલીસ ટીમે દ્વારકાધીશ મંદિર અને ત્યાં આજુબાજુમાં પડેલા વાહનો ચકાસ્યા હતા અને ગોમતીઘાટ, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ વગેરે સ્થળે પણ નાકાબંધી કરી લેવામાં આવી હતી. રૂપેણ બંદર સહિતના સમુદ્રકાંઠાઓ પર ચકાસણી કરાઈ હતી. દ્વારકાથી ઓખા વચ્ચે આવેલા નાગેશ્વર જયોર્તિલિંગ, શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે હોટલ, ગેસ્ટહાઉસ ચકાસવા ઉપરાંત ધોરીમાર્ગાે પર પણ સઘન ચેકીંગ કર્યું હતું અને શકમંદોની પૂછપરછ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial