Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના મોટાભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૩: જામજોધપુરના શેઠવડાળા ગામની આંબેડકર સોસાયટીમાં વસવાટ કરતા એક યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તેમના મોટાભાઈનું નિવેદન નોંધ્યું છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા ભરતભાઈ પબાભાઈ રાઠોડ (ઉ.વ.૪૩) નામના યુવાન છેલ્લા દસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાથી આ યુવાન કંટાળ્યા હતા.
તેઓએ ગઈકાલે સવારે શેઠવડાળાની આંબેડકર સોસાયટી સ્થિત પોતાના ઘરમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાટંૂપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પરિવારજનોએ ભરતભાઈને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ હરેશભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial