Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૫ લાખથી વધુના ખર્ચે થયેલા વિકાસ કાર્યો ગ્રામજનોને સમર્પિતઃ
જામનગર તા. ૪: ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે ગ્રામજનો માટે અગત્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ રૂ. ૩૦.૮૬ લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ પેવર બ્લોકના કામનું લોકાર્પણ કર્યું હતું. આમ, કુલ રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કાર્યો ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા ગ્રામજનોના નાનામા નાના પ્રશ્નોનો પણ સંતોષકારક ઉકેલ લાવવાની છે, તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારે ગ્રામીણ વિકાસને લગતી અનેક નવી યોજનાઓ અમલમા મુકી છે અને સ્થાનિક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ પણ લાવ્યો છે.
તેઓએ ખેડૂતો અને પશુપાલકોને સરકારી વિવિધ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહે તે માટેના નક્કર આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે ગ્રામજનોને સરકારની વધુમાં વધુ યોજનાઓના લાભો મેળવવા માટે જાગૃત થવા અને પાણીના મહત્ત્વને ધ્યાનમાં રાખીને વરસાદના ટીપે-ટીપાંનો સંગ્રહ કરવા માટે પણ આહવાન કર્યું હતું.
આ પ્રસંંગે અગ્રણી આગેવાનો ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, નરેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજ સિંહ જાડેજા, મોહનભાઈ, અને સરપંચ ગીતાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial