Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર મહિનામાં નવ લાખની કિંમતના મોબાઈલ ઉઠાવ્યાઃ
જામનગર તા. ૧૮: જામનગરના અંબર ચોકડી વિસ્તારમાં આવેલા પંચરત્ન કોમ્પલેક્ષ સ્થિત મોબાઈલની એક દુકાનમાં નોકરી કરતા શખ્સે ચાર મહિનામાં દુકાનના માલિકના ધ્યાન બહાર રૂા.૯ લાખ ઉપરાંતના ૧પ મોબાઈલની ઉઠાંતરી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી અંબર ચોકડી નજીક પંચરત્ન કોમ્પલેક્ષમાં યશ મોબાઈલ નામની દુકાન ચલાવતા અને ટાઉનહોલ પાસે વસવાટ કરતા રાજેશભાઈ ખોડુભાઈ ગોહિલ નામના વેપારીએ પોતાની જ દુકાનમાં નોકરી કરતા કિશન ચેતનભાઈ બાવરીયા સામે ચાર મહિનામાં રૂા.૯ લાખ ૧૦ હજારના મોબાઈલ ચોરી જવા અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમની દુકાનમાં નોકરી કરતા અને દેવુભાના ચોક નજીક કરશનભાઈના ચોકમાં રહેતા કિશન બાવરીયાએ ગયા જુલાઈ મહિનાની તા.પથી ગઈકાલ સુધીમાં તેમની દુકાનમાંથી જુદી જુદી કંપનીના ૧પ જેટલા ફોનની ઉઠાંતરી કરી લીધી છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી કિશન બાવરીયાની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial