Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં કોંગ્રેસની વિશાળ રેલી
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જિલ્લા કોંગ્રેસ તથા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખંભાળીયામાં માવઠા તથા કમોસમી વરસાદથી થયેલ નુકસાન તથા તેનો સર્વે કરીને સહાયમાં સરકારની ઢીલી નીતિનો ઉગ્ર વિરોધ કરવા આક્રોશ સાથે મશાલ રેલી તથા સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ આપવા ખેડૂતોએ પછેડી ઓઢીને ઠુંઠવો મુક્વાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતો પણ જોડાયા હતા.
દ્વારકા જિલ્લામાં મગફળીનો સૌથી વધુ પાક છે ત્યારે તૈયાર પાક પાથરા સ્વરૂપે કે ઉતરવાની તૈયારીરૂપે હતો ત્યારે જ કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબજ નુકસાન થયું છે, ત્યારે સરકાર પાસેથી ખેડૂતોને સહાયની આશા હતી, ત્યારે જ સર્વેનું નાટક શરૂ કરતા ખેડૂતોએ આક્રોશ કાઢીને સરકારને ભલું બુરૃં સંભળાવી જાહેરમાં ટીકા કરી હતી. તથા સરકારની મરેલી આત્મામાં જ્યોતરૂપી પ્રકાશ ભરવા મશાલ રેલી કાઢવામાં આવી હતી. તથા આંબેડકરજીની પ્રતિમા પાસે સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા ખેડૂતોએ પોંક મૂકીને ઠુંઠવો મૂકીને સરકારના મરશીયા ગાઈને મરણપોક મૂકીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તથા ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા, પૂર્વ રાજ્યમંત્રી રણમલભાઈ વારોતરીયા, પૂર્વ ન.પા. પ્રમુખ ગિરીરાજસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial