Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિઃ પદયાત્રા યોજાઈ

ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ હોઈ, શહેર-જિલ્લા કોેંગ્રેસ આયોજિત આ કાર્યક્રમમાં અગ્રણીઓ જોડાયા

                                                                                                                                                                                                      

આજે ૩૧ મી ઓક્ટોબરના સરદાર પટેલની જન્મ જયંતી અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યે જનતા ફાટક ચાર રસ્તાથી પટેલ સમાજ વાડી સુધીની પદયાત્રા યોજાઈ હતી. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પછી સવારે ૧૧ વાગ્યે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ સરદાર પટેલની છબિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાઈ જાડેજા, મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર કાસમભાઈ જોખીયા ઉપરાંત ભરત વાળા સહિતનાઓ જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh