Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના ચાર અધિકારીઓને બઢતી માટે જનરલ બોર્ડે ઠરાવ કર્યો, પણ સરકારમાંથી વાંધા સાથે પરત!

જેની કવેરી નીકળી તે બે અધિકારી માટે ફરી બોર્ડ બોલાવવું પડશે?

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં ચાર અધિકારીને બઢી આપતો ઠરાવ સામાન્ય સભામાં પસાર કર્યો હતો, તેમાં પૂર્તતા અને કવેરી માંગવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં ચાર અધિકારીને બઢતી આપતો ઠરાવ થોડા માસ પહેલા પસાર કરવામાં આવ્યો હતો, અને તેને આખરી મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં મુકેશ વરણવા (વહીવટ) અને જીગ્નેશ નિર્મલ (ટેક્સ) ને આસી. કમિશનર તરીકે બઢતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત કોમલબેન પટેલને ચિફ ઓફિસર અને કાર્યપાલક ઈજનેર તરીકે નરેશ પટેલને બઢતી આપતો ઠરાવ કરાયો હતો, જેને રાજ્ય સરકારે હાલ તો મંજુરી આપી નથી. આ ચાર અધિકારીમાંથી બે ની પૂર્તતા અને બે અધિકારીના કેઈસમાં કવેરી કાઢી છે. આમ જે બે અધિકારીના કેસમાં કવેરી કાઢવામાં આવી છે. તે માટે સામાન્ય સભાની બીજી વખત મંજુરી મેળવવાની પ્રક્રિયા કરવાની ફરજ પડશે તેમ જાણવા મળે છે. આમ જામનગર મહાનગર પાલિકામાં ચાર અધિકારીનું બઢતી પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh