Advertisement
Author: નોબત સમાચાર

માત્ર 'નોબત'ના તાલે દેવીદાસકૃત ઈશ્વર વિવાહ

૩રર વર્ષ જુની જલાની જારની ગરબીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર શહેરની પ્રાચીન ગરબી 'જલાની જારની ગરબી' આજે દિવસ સુધી આ ગરબીને આધુનિક્તાનો સ્પર્શ નથી થયો. નહીં લાઉડ સ્પિકર, નહીં સંગીતના વાજીંત્રો, માત્ર 'નોબત'ના તાલે, પુરુષો દ્વારા રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેશરી અબોટિયા પહેરીને રમાતી આ ગરબીમાં 'ઈશ્વર વિવાહ' એટલે શિવશક્તિનો સમન્વય થાય છે. જે ઈશ્વરવિવાહ શરૂ થાય એટલે એક પણ ક્ષણના વિરામ વગર ૩-૩૦ કલાક સુધી સતત સ્વકંઠેથી ગાવામાં અને રમવામાં આવે છે, ત્યારે શ્રોતાગણ મંત્રમુગ્ધ થઈ જાય છે, ત્યારે સાક્ષાત કૈલાશમાં હોઈ એવી અનુભૂતિ થાય છે.

આ ગરબી ૩રર વર્ષ જુની છે, જેમાં શરૂઆતથી આજ દિવસ સુધી આજ સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવામાં આવેલ છે. આસો સુદ સાતમ, તા. ર૯-૯-ર૦રપ ને સોમવારના રાત્રિના ૧ર-૩૦ વાગ્યે કવિ દેવીદાસકૃત ઈશ્વર વિવાહનું આયોજન થશે. એમાં શ્રોતાજનો તેનો સાર સમજી શકે એ માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે.

આ ઈશ્વર વિવાહ જોવો અને ગાવો એ એક ચિરસ્મરણીય લાહવો છે. આ ગરબીના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવે છે, એક સમયે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડવાળા પણ કવરેજ કરી ગયા છે. હાલના ઘોંઘાટભર્યા વાતાવરણથી ગરબી ઘણી દૂર છે. સર્વે જામનગરની અને ગુજરાતની જનતાને ઈશ્વર વિવાહમાં પધારવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh