Advertisement
Author: નોબત સમાચાર

નાંદુરીમાં થયેલી હત્યાના આરોપીને જામીનમુક્ત કરવાનો અદાલતનો આદેશ

ઝાડ કાપવાની બાબતે થઈ હતી બબાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: લાલપુરના નાંદુરી ગામમાં ચાર મહિના પહેલાં એક વૃદ્ધની થયેલી હત્યાના આરોપીને અદાલતે રૂ. ૧ લાખના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

લાલ૫ુર તાલુકાના નાંદુરી ગામમાં રાણાસર સીમ વિસ્તારમાં નગાભાઈ જેતાભાઈ કરંગીયા તથા ખીમાભાઈ લખમણભાઈ કરંગીયાના ખેતર બાજુ બાજુમાં આવેલા છે. તેના રસ્તામાં ઉગેલા બાવળને કાપવાની બાબતે ઝઘડો થયા પછી ગઈ તા.૧પ-પ-રપના દિને ખીમાભાઈએ સમાધાન માટે બોલાવી જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા પર હુમલો કરતા માથામાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકના પુત્ર નગાભાઈ જેતાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી ખીમાભાઈ લખમણભાઈની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી તેને રૂ. ૧ લાખના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh