Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિના ત્રાસથી કંટાળીને ઘર છોડી ચાલ્યા ગયેલા
જામનગર તા. ૫: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સમાન છે. જામનગરમાં કાર્યરત ૧૮૧ હેલ્પલાઈન પર ફોન કરીને એક જાગૃત નાગરિકે જણાવેલ કે કોઈ મહિલા વહેલી સવારે ૫ વાગ્યાથી ઓટલા પર ગભરાયેલી હાલતમાં બેઠા છે અને મદદની જરૂર છે. કોલ આવતાની સાથે જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સેલર રીનાબેન દિહોરા, હેડ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. મહિલાનું કાઉન્સેલીંગ કર્યા બાદ જાણવા મળેલ કે, પોતાના પતિ સાથે ઝગડો થતાં તેણીએ બે દિવસથી ઘર છોડી દીધું છે. અને અંતરીયાળ વિસ્તારમાં રહે છે. તેમના પતિ વારંવાર પિયર જતા રહેવા જણાવે છે અને હાલ તેઓને પિયર ન જવું હોવાથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે. બાદમાં અભયમની ટીમ દ્વારા આ મહિલાને સાંત્વના પાઠવી એડ્રેસ અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. અને સાસરિયામાં જઈ તેના પતિનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય સમજણ આપી હતી. બાદમાં તે મહિલાને ખોટી ધમકી કે ઘરની બહાર નીકળી જવા મજબૂર નહીં કરે તેવી બાહેંધરી સાથે સુખદ જિવનની શરૂઆત કરવા સહમત થતા અભયમની ટીમે તેણીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial