Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ.ના માધ્યમથી રેડિયમ રિફલેકટરઃ
જામનગર તા. ૫: જામનગરથી જોગવડ ચાલીને જતા પદયાત્રીઓને દર શનિવારે આર.ટી.ઓ. ઈન્સ્પેકટર સાથે મળી છેલ્લા એક વર્ષથી નિરંતર હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સાથે જવાનો લોકોની મહામુલી જિંદગીનું રક્ષણ કરવા રેડિયમ રિફલેકટર લગાવે છે, અને સરકારની રોડ સેફટી અભિયાનમાં મહત્ત્વપૂર્ણ સેવાઓ આપે છે.
આ ઉપરાંત દરેક તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં ચાલીને જતા પદયાત્રીઓને પણ આ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. જે અંતર્ગત પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા જતા મોટી સંખ્યામાં પદયાત્રીઓને પણ રેડિયમ રિફલેકટર લગાવવામાં આવ્યા હતા. આ સેવાઓ માટે રેડિયમ રિફલેકટર આર.ટી.ઓ. ઈન્સ્પેકટર જીતેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પુરા પાડવામાં આવે છે. આ સેવાઓ માટે હોમગાર્ડઝ કમાન્ડન્ટ સાથે આર.ટી.ઓ. ઈન્સ્પેકટર અને હોમગાર્ડઝ શહેર યુનિટના ઓફિસરો સાથે સભ્યો સ્વેચ્છાએ જોડાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial