Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ષાબંધનના પાવન દિવસે
જામનગર તા. ૫: જામનગરના શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રાવણી પૂનમ (રક્ષાબંધન,બળેવ)ના પાવન દિવસે તા. ૯-૮-૨૫ના જ્ઞાતિના ભવન, નિલકંઠનગર, મહાવીરપાર્ક, રણજીતસાગર રોડ, જામનગરમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ્ઞાતિના ભૂદેવો માટે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ તેમજ સમૂહ જ્ઞાતિભોજન (મહાપ્રસાદ) પણ યોજાશે.તા. ૯-૮-૨૫ના સવારે ૭:૩૦ થી સવારે ૯ વાગ્યા સુધી યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ, સવારે ૯ થી ૯:૩૦ અલ્પાહાર (ફરાળ) યોજાશે. સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તથા ૧૧:૩૦ થી ૧૨ વાગ્યા સુધી દાતાઓનું સન્માન કરવામાં આવશે. ત્યાર પછી બપોરે ૧૨ વાગ્યાથી જ્ઞાતિ સમૂહભોજન થશે.
જ્ઞાતિના વિદ્યાર્થીઓને પારિતોષિત વિતરણ માટે દાતાઓ રાજેશભાઈ જાની, સ્વ. ગુલાબભાઈ ભટ્ટ (હસ્તે. ઉર્મિલાબેન ભટ્ટ) પરિવાર તથા પરાગભાઈ ત્રિવેદી તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. જ્યારે ભૂદેવોના અલ્પાહાર માટે પ્રતાપરાય ત્રિવેદીએ સહયોગ આપ્યો છે. નૂતન યજ્ઞોપવિત ધારણ કરનાર તમામ ભૂદેવોને ઉપવસ્ત્ર (જનોઈ) તથા ત્રિકાળ સંધ્યાની પુસ્તિકા ભેટ-પ્રસાદ રૂપે આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial