Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા ગામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ ફાળવવા રજૂઆત કરાઈ

ભાજપના અગ્રણી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: કલ્યાણપુર તાલુકાના ૩૦ હજારની વસતિવાળા ભાટીયા ગામમાં આજ સુધી એસ.ટી. બસ સ્ટેન્ડની સુવિધા નથી.

ભાટીયા ગામમાં આસપાસના ૬૨ જેટલા ગામોના મુખ્ય વેપાર રહેલો છે. બે-ત્રણ મોટી કોર્પોરેટ કંપનીના ઉદ્યોગો છે. અગાઉ ગામમાં એસ.ટી. પોઈન્ટ હતો અને ત્યારે દરરોજ ૭૨ જેટલી બસો ગામમાં આવતી-જતી હતી. અત્યારે માત્ર પાંચ-સાત જેટલી લોકલ બસો ગામમાં આવે છે.

આ રૂટ પરથી ચાલતી તમામ લોકલ-એક્સપ્રેસ-લાંબા અંતરની એસ.ટી.બસો ગામમાં અંદર આવે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે. આ પ્રશ્ને ગામલોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. ભાટીયા ગામમાં સુવિધાજનક એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવા તથા બસો ગામમાં આવે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના કારોબારી સભ્ય અને જામનગર મહાનગર પ્રભારી વિરાભાઈ ગોરડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

સ્થાનિક રાજકારણ અને ટ્રાવેલ્સ સંચાલકોની મીલીભગતના કારણે આ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી તેવો આક્ષેપ પણ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh