Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભાનું તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી ચોમાસુ સત્રઃ અધ્યક્ષે જાહેર કર્યો કાર્યક્રમ

રાજ્ય૫ાલ દ્વારા સાતમા સત્રનું આહ્વાન

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૮: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઈ છે. અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા માહિતી આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સત્ર તા. ૮,૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલશે. આ ત્રણ દિવસના ટૂંકા ગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર દરમ્યાન ધારાસભ્યો ૨૦ ઓગષ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. ૩ દિવસ દરમ્યાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેકટરી સુધારા વિધેયક આ બંને વટહુકમ પણ વિધાનસભામાં રજૂ થશે. જેમાં કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ ૬ સપ્ટેમ્બરના બોલાવવામાં આવશે જેમાં બાકીના વિગતવાર કામોની ચર્ચા કરવામાં આવશે.

આ અંગેની માહિતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સત્રમાં વિવિધ સરકારી વિધેયકો અને રાજ્યના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh