Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રાહુલને રાહત'
નવી દિલ્હી તા. ૬: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં જામીન મંજુર થયા છે. ઝારખંડના ચાઈબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતાં. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો.
આ વિવાદની શરૂઆત રાહુલ ગાંધીના ર૮ માર્ચ ર૦૧૮ માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઈ હતી, જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલિન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે ૯ જુલાઈ ર૦૧૮ ના પ્રતાપ કટિહારે ચાઈબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતાં, પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા ન હતાં. છેવટે ર૬ જૂને કોર્ટે તેમને હાજર કરવા માટે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસ અગાઉ ચાઈબાસા સીજેએમ કોર્ટમાંથી રાંચીમાં આવેલી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો, પણ પછીથી જ્યારે ચાઈબાસામાં એમપી-એમએએલ સ્પેશિયલ કોર્ટની રચના થઈ તો ફરીવાર કેસ ચાઈબાસા શિફ્ટ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial