Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિમાન દુર્ઘટનામાં મૃતકોના આત્માની શાંતિ માટે
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે જામનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા શાંતિયજ્ઞ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં અમદાવાદમાં વિમાન ક્રેશ થયું હતું જેમાં ૨૭૦ લોકોના મૃત્યુ થયા હતા. જામનગરમાં શ્રી રામસી બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંત્યિજ્ઞ યોજાયો હતો. આ શાંતિયજ્ઞમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા આશિષ જોષી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, કોર્પોરેટરો અલ્કાબા જાડેજા, પરાગભાઈ પટેલ, ડિમ્પલબેન રાવલ, અગ્રણી નરેનભાઈ ગઢવી, ગિરીશભાઈ અમેડીયા, બ્રહ્મસમાજના આગેવાનો વૃજલાલ પાઠક, સુનિલભાઈ ખેતીયા, મિતેષભાઈ મહેતા, જાનીદાદા, હિરેનભાઈ વરણવા, કિર્તિભાઈ કમેલશભાઈ પંડયા, ચિરાગભાઈ પંડયા અને આયોજક સંસ્થાની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial