Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા આમઆદમી પાર્ટી દ્વારા
જામનગર તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમઆદમી પાર્ટી દ્વારા કલ્યાણપુર તાલુકાના ખીજદડથી ગઢકા જવાના કાચા રસ્તા પર તકલીફો અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને તાકીદે લોકોની પરેશાની દૂર કરવાની માંગ કરાઈ છે.
તેમણે આવેદનપત્રમાં ફરિયાદ કરેલ છે કે કલ્યાણપુરનું ખીજદડ ગામ અંદરના ભાગે આવેલું છે જયાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. ખીજદડ થી ગઢકા જવાનો રસ્તો આઝાદીના ૭૭ વર્ષ પછી પણ તદ્દન કાચો છે અને વૈકલ્પિક માર્ગ નવા ખીજદડ થી ગઢકા જાય છે તે પણ એવો છે કે થોડો વરસાદ આવે તો બંધ થઈ જાય છે. અને ખૂબ જ દૂર પડે છે.
જો ખીજદડથી ગઢકા ડામર રોડ થાય તો હરીપર તથા માંગરીયા જેવા ગામોને પણ ફાયદો થાય તેમ હોય, આ વિસ્તારના કાચા રસ્તાથી લોકોને ખૂબ જ પરેશાની થતી હોય તાકીદે યોગ્ય કરવા માંગ કરાઈ છે.
આ વિસ્તારના ગ્રામજનો દ્વારા આ રસ્તા અંગે તા. ૨૬-૮-૨૫ના પણ આવેદનપત્ર આપીને આ રસ્તો ડામર રોડનો કરવા માંગ કરાઈ હતી, પણ હજૂ સુધી ડામર રોડ ના થતા કાચા રસ્તાને લીધે લોકો ભારે પરેશાન થતા હોય, તુરંત યોગ્ય કરવા માંગ કરાઈ છે. આમઆદમી પાર્ટીના કિસાન સંઘ અગ્રણી બલદેવ ગઢવી સહિતના આગેવાનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial