Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ગોમતી તટે શંકરાચાર્ય ઘાટ પર દરરોજ સૂર્યાસ્ત સમયે મહાઆરતી

ભક્તિ-સંસ્કૃતિનો સંગમઃ ગંગા આરતીની અનુભૂતિ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૮: ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદ્ભુત અને આધ્યાત્મિક દૃશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.

સૂર્યાસ્તના સમયે જ્યારે આકાશ કેસરી રંગે રંગાય છે ત્યારે ગોમતી તટ પર શંખનાદ્ સાથે સંધ્યા આરતીનો પ્રારંભ થાય છે. પ્રજવલિત મશાલ અને વિશાળ દીપમાળાઓ સાથે જ્યારે બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિથી આરતી કરે છે, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. દ્વારકા આવતા દરેક યાત્રિકો માટે ભક્તિ, સંગીત અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમમાં સહભાગી થઈ આ સંધ્યા આરતીનો લ્હાવો એક જીવનભરનું સંભારણું બની રહે છે.

દ્વારકાના ગોમતી ઘાટે થતી સંધ્યા આરતીમાં ઝળહળતા ગોમતી નદીના શંકરાચાર્ય ઘાટ પર કાશી અને હરિદ્વારની ગંગા આરતી જેવો જ ભવ્ય નજારો હવે દ્વારકાધીશ મંદિર નજીક જોવા મળી રહ્યો છે. આ આરતી નિહાળવા બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય, સ્થાનીય પર્યટનનું આકર્ષણસમુ બની રહ્યું છે. દ્વારકાના ગોમતી નદીના શંકરાચાર્ય ઘાટે દરરોજ સાંજે સૂર્યાસ્ત સમયે (૬-૩૦ કલાકે) અહીં આવતા શ્રદ્ધાળુઓને ગોમતી આરતીમાં સહભાગી થવું એ માત્ર ધાર્મિક ક્રિયા નહિં, પરંતુ મનને શાંતિ અર્પતો અલૌકિક અનુભવ સમો બની રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh