Advertisement
Author: નોબત સમાચાર

સંત કંવરજીરામજીના ૮૬ મા વરસી ઉત્સવની આજથી ઉજવણી

સિંધી સમાજના સુફી સંત અમર શહીદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં સિંધી સમાજના સુફી સંત કંવરરામજીનો ૮૬ મા વરસી મહોત્સવની ત્રિદિવસીય કાર્યક્રમ સાથે ઉજવણી થઈ રહી છે, અને જામનગરના નાનકપુરીમાં આવેલ સંત કંવરરામ મંદિરમાં તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી ત્રિદિવસીય જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ૧૧ મીએ રામધૂન, ૧ર મીએ અખંડ ધૂની અને મદાહ સાહેબના પાઠ, મ્યુઝિકલ સત્સંગ ભજનનો કાર્યક્રમ યોજાશે.

અંતિમ દિવસે સવારે ધ્વજા રોહણ, સાંજે શોભાયાત્રા અને રાત્રે ભંડારા પ્રસાદનું આયોજન  ભક્તિભાવ સાથે અને વિશેષમાં સંત કંવરરામ સાહેબ પરિવારના વંશજ હજુરીરૂપ સાંઈ ધીરજલાલ અને તેમના ધર્મપત્ની રિદ્ધિ માતા સાહેબ બન્ને આ આયોજનમાં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જ્ઞાતિજનોને લાભ લેવા સંત કંવરરામ મંદિર સેવા સમિતિએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh