Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરતના કેસમાં કેદ તથા દંડ ફટકારતી અદાલત

સોસાયટીએ નોંધાવી હતી ડિફોલ્ટર સામે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરની એક સોસાયટી પાસેથી લોન મેળવનાર બે સભાસદ  સામે ચેક પરતની ફરિયાદો કરવામાં આવી હતી. તે બંને કેસમાં અદાલતે આરોપીઓને કેદ, ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ રવિન્દ્રગીરી ભગવાનગીરી ગોસ્વામી અને પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. તે લોન ભરપાઈ કરવા આપેલા ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં બંને સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવી પૃથ્વીરાજસિંહને એક વર્ષની જેલ, ચેક મુજબ રૂ.૧,૮૭,૭૩૧નો દંડ અને રવિન્દ્રગીરી ગોસ્વામીને ૬ મહિનાની જેલ અને રૂ.૨૨૧૦૬નો દંડ ફટકારાયો છે. બંને આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ,મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh