Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અફઘાન તાલીબાન સાથેના સંબંધોમાં ખટાશ બની મુશ્કેલીનું કારણ
ઈસ્લામાબાદ તા. ૧૧: પાકિસ્તાનમાં પોલીસ તાલીમ શાળા પર હુમલો થતા ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા છે, અને એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદીઓએ પોલીસ તાલીમ શાળા પર આતંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષાદળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા અને ત્રણ પોલીસકર્મીઓ પણ માર્યા ગયા.
આ હુમલો પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ શાળામાં ઘૂસીને મોટો હુમલો કરવાનો ઈરાદો ધરાવતા હતા, પરંતુ પોલીસે વળતો જવાબ આપ્યો અને તેમને મારી નાખ્યા હોવાનો દાવો સ્થાનિક પોલીસે કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ડેરા ઈસ્માઈલ ખાનના ડેપ્યુટી પ્રોસિક્યુટર જનરલ ઓફ પોલીસ (ડીપીઓ) ના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં પાકિસ્તાનમાં ટીટીપીના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં ખટાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. શુક્રવારે પંજાબ પ્રાંતના ચેનાબમાં અહમદી સમુદાયની બૈત-ઉલ-મહદી-મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતાં. અને એક હુમલાખોરનું મોત નિપજ્યું હતું. આ ઘટના પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર વધતા લક્ષિત હુમલાઓનું નવીનત્તમ ઉદાહરણ છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે સમુદાયે સરકાર પાસેથી ગુનેગારોની ઝડપી ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial