Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ફાયર સ્ટેશન સામે જલભરાવની સમસ્યા નિવારવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

નગરગેઈટથી ચાર રસ્તા સુધી જતો રોડ બનતો હોઈ,

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયામાં પાલિકા દ્વારા હાલમાં નગરગેઈટથી ચાર રસ્તા સુધી નવા રોડનું કામ ચાલુ છે, ત્યારે ચાલુ રસ્તાના કામમાં વિજય સિનેમા પાસે ફાયર સ્ટેશનની સામેના ભાગમાં વર્ષો જુનો ચોમાસામાં પાણી ભરાવાનો તથા નજીકમાં પાણીના પૂર નીકળતા હોય, પાલિકા દ્વારા આયોજન કરીને રોડ લેવલમાં સી.સી. રોડનું કામ આવતા મોટા પાઈપો નાખીને રસ્તામાં ભરાતા વરસાદના પાણીન નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવા કાર્ય કરતા આ વિસ્તારના લોકોને ચોમાસામાં હવે રાહત થશે તથા મોટા વિશાળ પાઈપ નાખેલા હોય, પાણીનો પણ ઝડપથી નિકાલ થઈ જશે.

જો કે, રોડ બનતા પહેલા પી.સી.સી. કરેલું હતું તેના પર પાઈપ નાખવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા પાલિકાના પૈસાનો દુરૂપયોગ રોડ થયા પછી પાઈપ નાખવાનું કાર્ય થયાનો ઉહાપોહ કર્યો હતો, પરંતુ પાલિકાના ઈજનેર દ્વારા આ અંગે યોગ્ય રીતે સી.સી. રોડ થયા પછી જ કામગીરી થઈ શકે તેમ હોય, તે પ્રમાણે જ થયાનું જણાવ્યું હતું.

જો કે હવે દિવાળી તહેવારો નજીકમાં છે, ત્યારે શહેરનો આ મુખ્ય રસ્તો હોય,તુરંત કામ થાય તે માટે પણ લોકોની માંગ થઈ છે. બંધ રસ્તાથી ઘણાં દુકાનદારોના ધંધા પણ બંધ જેવી સ્થિતિમાં થઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh