Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોકરી દાતાઓ દ્વારા સ્થળ પર જ પસંદગીઃ
જામનગર તા. ૧૦: ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) જામનગર દ્વારા એપ્રેન્ટીસશીપ કરવા માંગતા યુવાનો માટે આગામી તાઃ- ૧૩/૧૦/૨૦૨૫, સોમવારના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહેવાના છે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ સવારે ૧૦ કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગરના સેમિનાર હોલ, ચોથો માળમાં હાજર રહેવા જણાવાયું આવે છે. ઉમેદવારોએ તેમની પસંદગી પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બાયો ડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે અચૂક હાજર રહેવા તેમજ જામનગરના તમામ યુવાનોને આ તકનો લાભ લેવા માટે આચાર્ય શ્રી આઈટીઆઈ જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial