Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાને હમારત માટે એરસ્પેસ બંધ કર્યા પછી
નવી દિલ્હી તા. ૨૯: તા. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પછી ભલે તે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની વાત હોય કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની બાબત હોય. પાકિસ્તાને ભારતીય વિમાનોને એર સ્પેસ આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. એવામાં હવે સમાચાર આવી રહૃાા છે કે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ પણ વધી શકે છે.
ભારત પણ પાકિસ્તાનના વિમાનો માટે એર સ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહૃાું છે. આ સાથે, ભારત તેના બંદરો પર પાકિસ્તાની જહાજોને રોકવાની યોજના બનાવી રહૃાું છે, જેના કારણે પાકિસ્તાનને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આની સીધી અસર તેના અર્થતંત્ર પર પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહૃાું છે, જેમાં ભારત પાકિસ્તાન માટે તેની એર સ્પેસ અને દરિયાઈ બંદરો બંને બંધ કરવાનું વિચારી રહૃાો છે.
પાકિસ્તાની એરલાઇન્સ માટે એર સ્પેસ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર પડશે. કારણ કે પાકિસ્તાનની સરકારી એરલાઇન પીઆઈએ સિંગાપોર અને થાઇલેન્ડ ઉપરાંત કુઆલાલંપુર સહિત દક્ષિણ પૂર્વ એશિયાના ઘણાં દેશો સુધી પહોંચવા માટે ભારતીય એર સ્પેસનો ઉપયોગ કરે છે.
જો સરકાર હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ મૂકશે. તો તે વિમાનોએ લાંબા અંતર સુધી ઉડાન ભરવી પડશે, જેના કારણે તેમના ભાડા પણ વધી શકે છે. પાકિસ્તાની એરલાઇન્સ પર પહેલા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૩૦ જૂન, ૨૦૨૦ ના યુરોપિયન એર સિક્યુરિટી એજન્સીએ સુરક્ષા કારણો દર્શાવ્યા હતા. એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી લગભગ ચાર વર્ષ પછી, ૨૯ નવેમ્બર, ૨૦૨૪ ના, પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. જે ફરીથી મુકાઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial