Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી

તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત્:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરમાં વેગીલા વાયરાઓ વચ્ચે તાપમાનમાં પણ વધારા-ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૮ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં ગઈકાલે પણ તેજીલા વાયરાઓ ફૂંકાયા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. વેગીલા વાયરાઓ વચ્ચે નગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૮ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી અને ૧.૭ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન વધુ રહેતા ગઈકાલે સવારે સૂર્યદેવતા ઉદીત થયા પછી ધીમે ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી અને બપોર સુધીમાં આકરો તાપ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેજીલા વાયરાઓના પગલે સાંજથી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ ઘટતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૮૩ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh