Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકામાં
જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલીકાની લગ્નનોંધણી શાખામાં રજૂ કરવામાં આવતી ફાઈલોમાં પુરાવાઓની પૂર્તતા કરી દેવા છતાં સર્ટીફિકેટ આપવામાં વિલંબ કરવામાં આવતો હોવા અંગે અમુક વકીલો દ્વારા તા. રર-૪-ર૦રપ ના મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
લગ્નનોંધણી શાખામાં પ્રેમલગ્ન કરનાર અરજદારોને તુરત જ પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે. જ્યારે વિવિધ કંકોત્રી સાથે રજૂ થનાર ફાઈલમાં ૧૦ થી ૧પ દિવસે સર્ટીફિકેટ આપવામાં આવે છે. ફાઈલમાં કાંઈ ખૂટતું હોય તો તેની ટેલિફોનિક જાણ પણ કરવામાં આવતી નથી.
અગાવના રજિસ્ટ્રાર દ્વારા આવી બાબતોની અમોને જાણ કરવામાં આવતી હતી. ઉપરાંત સર્ટીફિકેટમાં પણ અનેક ક્ષતિઓ રહેતી હોવાનું જોવા મળ્યું છે.
એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, હાલના લગ્ન નોંધણી રજિસ્ટ્રાર પાસે અન્ય ચાર શાખાનો ચાર્જ પણ છે. આ અધિકારી લગ્નનોંધણી શાખામાં હાજર હોતા નથી, પરંતુ તેની અન્ય શાખામાં હાજર રહે છે. ખરેખર ઓફિસ સુપ્રિ. કક્ષાના અધિકારીને આજે શા માટે સાંભળવામાં આવતા નથી?વકીલો તથા અસીલોને મુશ્કેલી પડે નહી સરળતાથી કાર્ય થાય તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. આ અંગેની રજૂઆત રાહુલ ચૌહાણ, આર.એન. મકવાણા, એમ.જી. ચાવડા, ડી.પી. વાઘેલા, એચ.કે. રાઠોડ સહિતના પચ્ચીસ જેટલા વકીલો દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial