Advertisement
Author: નોબત સમાચાર

પૈસાની ઉઘરાણીના મામલે બોલાચાલીનો ખાર રાખી બે પક્ષ વચ્ચે બોલી ગઈ બઘડાટી

બંને પક્ષની ફરિયાદ પરથી પાંચ સામે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસે નવેક દિવસ પહેલાં મોડીરાત્રે અગાઉની માથાકૂટના કારણે બોલાચાલી થયા પછી મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ પાંચ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી પાસે ગઈ તા.ર૧ની રાત્રે મુનાફ ઈકબાલ બ્લોચ નામનો યુવાન હાજર હતો ત્યારે અમિત ભાનુશાળી, દિલીપ સીંગરખીયા ઉર્ફે મનન, રોહિત રાજપૂત નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. મુનાફના મિત્ર યાસીન પાસે ભાવિન નામના યુવકે પૈસા લેવાના બાકી હતા. તે બાબતે સાતેક મહિના પહેલાં અમિત સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી આ ત્રણેય શખ્સે મુંઠ, ઢીકાપાટુથી હુમલો કરી મુનાફને માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી સામા પક્ષે રોહિત અતુલભાઈ બારડ નામના શંકરટેકરી સ્થિત સુભાષપરામાં રહેતા ખવાસ યુવાને વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તા.ર૧ની રાત્રે અઢી વાગ્યે હર્ષદ મીલની ચાલી નજીક મુનાફ તથા યાસીન નામના શખ્સોએ અગાઉની બોલાચાલીનો ખાર રાખી અમિત ભાનુશાળીને ફડાકા ઝીંક્યા હતા. તેને છોડાવવા રોહિત વચ્ચે પડતા આ શખ્સોએ ઢીકાપાટુથી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ પાંચેય આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh