Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરંપરાગત રાસ-ગરબાની રમઝટઃ ૨૦ હજાર જેટલા ભાવિકો ઉમટ્યા
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા તાલુકાના બેહ ગામે આવેલ જુંગીવારા ધામમાં વાછરાભાની જાતરની નવરાત્રિના પ્રથમ સોમવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાછરાભાને નિવેદ્ય ચડાવીને ભવ્ય રીતે પરંપરાગત રીતે રાસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેહ ગામે જુંગીવારા વાછરાભાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અઢારેય વર્ણના આસ્થા પ્રતિક જુંગીવારા ધામમાં નવરાત્રિના પ્રથમ સોમવારે જુંગીવારા વાછરાભાના મંદિરે જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સાંજ સુધીમાં આશરે ૨૦ હજાર જેટલા ભાવિકોએ વાછરાભાના ચરપણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
જેમાં વાછરાભાને નિવેદ્ય ચડાવીને ખીરની પ્રસાદીનો લાહવો લીધો હતો. ત્યાર બાદ ભવ્ય રીતે પરંપરાગત રીતે રાસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ દ્વારા ચાબખી રાસ તેમજ બહેનો દ્વારા ચારણી પરંપરા મુજબ દેવી રાસ રમવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા.
આ જાતરની ઉજવણીમાં સમસ્ત બેહ ગામ સાથે આજુ બાજુના ચાર બારા, ચુડેશ્વર, કાલાવડ, ગોઈંજ, પરોડીયા તેમજ જાકસીયા, વડત્રા, બેરાજા, નાના આસોટા, મોટા આસોટા, આસોટા સહિતના આજુબાજુના ગામના લોકો ઉમટ્યા હતા જુંગીવારા ધામ તેમજ સમસ્ત બેહ ગામ દ્વારા સુચારૂ આયોજન કરાયું હતું. અને શાંતિપૂર્ણ માહોલમાં જાતરની ઉજવણી થઈ હતી. પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial