Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના પવિત્ર હરિકુંડમાં મૃત માછલીઓ જોવા મળતા રોષ

હરિકુંડમાં જાળવણીના અભાવે ગંદકીઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૫: દ્વારકામાં જગતમંદિર પાસે જ મહાપ્રભુજીના બેઠકજી સંલગ્ન પૌરાણિક હરિકુંડ આવેલ છે. ભાવિકો આ પવિત્ર કુંડમાં સ્નાન કરી ત્યાર બાદ પિતૃતર્પણ કરતા હોય છે. તંત્ર દ્વારા જે તે સમયે લાખો રૂપિયાના ખર્ચે હરિકુંડમાં વિકાસ કામગીરી કર્યા છતાં જાળવણીના અભાવે અવાર-નવાર ગંદકીના દૃશ્યો જોવા મળતા હોય છે. હરિકુંડમાં માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. તંત્ર દ્વારા હેરીટેજ હરિકુંડના નવનિર્માણ પછી સતત જાળવણી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh