Advertisement
Author: નોબત સમાચાર

નવનિર્મિત જંગલેશ્વર મંદિરમાં યોજાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

શ્રાવણના અંતિમ સોમવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકા તંત્રએ પાછલા તળાવ પાસે આવેલ પ્રાચીન જંગલેશ્વર મહાદેવનું મંદિર ટ્રસ્ટીઓની સંમતિ સાથે શ્રાવણ મહિનો પૂરો થાય પછી ભાદરવા મહિનામાં દૂર કરવાનું આયોજન કર્યું હતું, પણ અડધા પ્રદર્શન મેદાનમાં લોકમેળાના આયોજનમાં એસ.ટી. બસોની અવરજવર તથા ટ્રાફિક વ્યવસ્થાના કારણોસર નવો રસ્તો તાબડતોબ બનાવવા માટે આ મંદિરનું ડિમોલીશન એક મહિના પહેલા જ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ કરી નાખવામાં આવ્યું...

બાજુમાં નવું મંદિર પૂરૂ બન્યું નથી, તેમ છતાં ત્યાં શિવલીંગ તથા થાળાને રાખવામાં આવ્યું... આ ઘટનાથી શિવભક્તો અને ધર્મપ્રેમીઓમાં ભારે રોષ ફેલાતા ટ્રસ્ટીઓએ શિવલીંગનું મંદિરમાં અવતરણ કરાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન કરી દીધાનું જાણવા મળે છે. ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે મંદિરમાં ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. સંભવતઃ તે માટે શ્રાવણી મહિનાના અંતિમ સોમવારનો દિવસ નિર્ધારીત કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh