Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયાણની ભાજપ સરકાર દુષ્કર્મના અપરાધી પર મહેરબાન કેમ?
રોહતક તા. પઃ દુષ્કર્મ કેસમાં દોષીત ગુરમીત રામ રહીમ પર ભાજપ સરકાર મહેરબાન હોય, તેમ જણાય છે. ૧૪ મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે.
દુષ્કર્મનો અપરાધી અને હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદના વડા ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ૪૦ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ભાજપ સરકારમાં તેને સતત પેરોલ અને ફર્લો મળી રહ્યા છે. સરકાર હંમેશાં કહે છે કે, 'ગુરમીત રામ રહીમને જેલ મેન્યુઅલ મુજબ રજા મળે છે', જો કે વર્ષ ર૦રપ માં તેને ત્રીજી વખત જેલમાંથી બહાર આવવાની મંજુરી અપાઈ છે.
અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં ર૧-ર૧ દિવસનો ફર્લો આપવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧૭ થી ર૦રપ સુધીમાં ગુરમીત રામ રહીમ ૧૪ મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ગુરમીત રામ રહીમને હરિયાણામાં ચૂંટણી દરમિયાન ૩૦ દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પેરોલ ઓક્ટોબર ર૦ર૪ માં હરિયાણામાં મતદાનના ચાર દિવસ પહેલા આપવામાં આવ્યો હતો.
એવો દાવો કરવામાં આવે છે કે ગુરમતી રામ રહીમના અનુયાયીઓની મતોને પ્રભાવિત કરવાની ક્ષમતાને કારણે તેને પંજાબ અને હરિયાણાના ાજકીય નેતાઓનું સમર્થન મળ્યું છે. ગુરમીત રામ રહીમને ઓગસ્ટ ર૦૧૭ માં બે શિષ્યો દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેમને ર૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ ર૦૧૯ માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૧૬ વર્ષ પહેલા પત્રકાર હત્યા કેસમાં તેને અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ચંડીગઢથી રપ૦ કિ.મી. દૂર રોહતકની ઉચ્ચ સુરક્ષાવાળી સુનારિયા જેલમાં બેધ છે. અગાઉ હાઈકોર્ટે રામ રહીમની દત્તક પુત્રીઓના લગ્નમાં હાજરી આપવાની અરજી ફગાવી દીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial