Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજીને શ્વેત વાઘા સાથે શ્રૃંગારઃ દૂધ-પૌવાનો ભોગ
દ્વારકાધીશના જગત મંદિરમાં શરદ૫ૂર્ણિમા મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હતો. આ ઉત્સવ અંગે દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકરે જણાવેલ કે, શરણપૂર્ણિમાના અવસરે શ્રીજીને શ્વેત વાઘા સાથે દૈદિપ્યમાન શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં તથા વિશેષ ભોગ દૂધ-પૌઆ-મિશ્રી ધરાવવામાં આવ્યા પછી આરતી કરવામાં આવી હતી. બાદમાં શ્રીકૃષ્ણ ભગવાન વ્રજમાં ગોપીઓ સાથે રાસ ખેલ્યા હતાં, તેવા ભાવ સાથે જગત મંદિરના પટાંગણમાં પૂજારી પરિવાર તથા ભક્તગણ દ્વારા રાત્રિના ૮.૦૦ થી ૧૦.૩૦ દરમિયાન ભવ્ય રાસોત્સવ રમાયો હતો. શરદપૂર્ણિમાના દિવસે ઠાકોરજી વ્રજમાં રાસ ખેલવા જાય છે, તેવો ભાવ હોય તેથી દ્વારકાધીશના જગત મંદિરમાં રાત્રિના શયન દર્શન શ્રૃંગાર યોજાયાહતાં. (શ્રૃંગાર બડા થતા નથી), જે શરદપૂર્ણિમાની વિશેષતા હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial