Advertisement
Author: નોબત સમાચાર

રેલવેના પાટા ક્રોસ કરતી વખતે ટ્રેન આવતાં મહિલા હડફેટે ચઢ્યા

મૃતકના સંબંધીનું નિવેદન નોંધાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના ધરારનગર-૧ નજીક સાત નાલા રેલવે બ્રિજ પર ગઈકાલે એક મહિલા ટ્રેનની હડફેટે ચઢી જતા મોતને શરણ થયા છે.

જામનગરના ધરારનગર-૧ વિસ્તાર પાસે આંબેડકરધામમાં રહેતા ડાયાબેન કિશોરભાઈ રાઠોડ નામના ચુમાલીસ વર્ષના મહિલા ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરેથી ચાલીને કામસર નીકળ્યા હતા.

તેઓ જ્યારે સાત નાલા પાસે રેલવે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે બ્રિજ ક્રોસ કરતી વખતે અચાનક ટ્રેન ધસી આવતા આ મહિલા તેની હડફેટે ચઢી ગયા હતા. ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગતા ફંગોળાઈ ગયેલા આ મહિલાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ધીરૂભાઈ નાનભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. જમાદાર એફ.એમ. ચાવડાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh